WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સોલાર રૂફટોપ યોજના 2023 જાણો સંપૂર્ણ માહિતી

સોલાર રૂફટોપ યોજના 2023: ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના વર્ષ 2022 માં શરૂ કરવામાં આવી હતી, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હવાનું પ્રદુષણ ઓછું કરવા માટે તેમજ લોકો સૌરઉર્જાનો ઉપયોગ વધુમાં વધુ કરતા થાય એ ઉમદા હેતુને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે વર્ષ 2009માં સૌર ઉર્જા નીતિ અમલમાં મૂકી હતી, સૌર ઉર્જા નીતિના ભાગરૂપે રાજ્ય સરકારે પણ આ યોજનાને અમલમાં મૂકી છે.

સોલાર રૂફટોપ યોજના 2023

સોલાર રૂફટોપ યોજના દ્વારા લોકો પોતાના મકાનની અગાસી પર સોલાર પ્લેટ લગાવીને સૌર ઊર્જા દ્વારા પોતાના ઘરમાં વીજળી મેળવી શકે છે, આ યોજના હેઠળ જે વ્યક્તિ સોલાર પેનલ સિસ્ટમ પોતાના મકાન પર લગાવે છે તેમને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. સરકારે નક્કી કરેલા ધારા ધોરણો મુજબ લોકોને સબસેડી મળવાપાત્ર છે. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ઉત્પન થયેલી વીજળી માંથી વીજળીનો વપરાશ કર્યા બાદ ઇલેક્ટ્રિસિટી જે વધે તેને વેચી પણ શકાય છે, અને આનું પેમેન્ટ પણ કંપની દ્વારા ઉપભોક્તા ને આપવામાં આવે છે.

આને પણ વાંચો : નવો વ્યવસાય શરૂ કરવા માટે 50 હજાર થી 10 લાખ સુધી લોન મેડવો. મુદ્રા લોન યોજના વિશે માહિતી વાંચો

યોજનાનું નામ સોલાર રૂફટોપ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા
યોજનાના લાભાર્થીઓદેશના તમામ નાગરિકો
સબસીડી20% થી ૪૦ ટકા
વેબસાઈટsolarrooftop.gov.in

જાણો સોલાર રૂફટોપ યોજના વિશે

દેશમાં સૌર યોજના ના પ્રોત્સાહન માટે સોલાર યોજના શરૂ કરવામાં આવી છે, કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રુફટોપ યોજના ને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવે છે, ભારતમાં સૌર ઉર્જાનો જથ્થો અખૂટ છે તેથી આ ઉર્જાનો ઉપયોગ કરે દેશમાં પ્રદૂષણનું સ્તર અને કોલસાથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ઓછો થાય અને લોકોને આર્થિક રીતે લાભ મળી રહે તે માટે સોલાર રૂફટોપ યોજના ખૂબ જ મહત્વની છે.

આને પણ વાંચો : ગુજરાત ની મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન, ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

સોલાર રૂફટોપ યોજના ના મુખ્ય ઉદ્દેશ્યો

  • રાજ્યમાં સૌરઉર્જાને આપવું
  • હવામાં કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્સર્જન ઘટાડવું
  • પેટ્રોલ ડીઝલ અને કોલસા જેવા પુનઃપ્રાપ્ય સ્ત્રોતો પરની નિર્ભરતાને ઘટાડવી
  • સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપે આત્મ નિર્ભર ભારતનો લક્ષ્ય સિદ્ધ કરવું

સોલાર રૂફટોપ યોજના ના લાભ

  • સોલાર પેનલ છત પર લગાવવાથી મફત વીજળી મળશે આ યોજનાનો ઉપયોગ ઘર વપરાશ માટે કરી શકાય છે અને લાઈટ બિલ માંથી મુક્તિ મળે છે
  • ઘર વપરાશ દરમિયાન વધેલી વધારાની વીજળીને નજીકના ગ્રીડમાં વેચીને વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરેલા ભાવ મુજબ કિલો વોટ પ્રમાણે ગ્રાહકોને નિયત રકમ ચૂકવવામાં આવે છે આ રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે
  • સોલાર રૂફટોપ યોજના ના ઇન્સ્ટોલેશન બાદ પાંચ વર્ષ સુધી એજન્સી દ્વારા પેનલનો મફત મેન્ટેનન્સ કરી આપવામાં આવે છે
  • સૌરઉર્જાના ઉપયોગથી દેશમાં હવાનો પ્રદૂષણ ઘટશે અને હરિત ઉર્જાનો ઉપયોગ વધશે

આને પણ વાંચો: ઇ શ્રમ કાર્ડ કઢાવી મેળવો ફ્રી માં રૂપિયા 2 લાખ નો વીમો, આ કાર્ડ કેવી રીતે કાઢવવું જાણો માહિતી

સોલાર રૂફટોપ યોજના માટે અરજી કોણ કરી શકે?

  • સોલાર પેનલના ઇન્સ્ટોલેશન માટેની જગ્યા વ્યક્તિની પોતાના માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહક કાયદેસરતે જગ્યાનો હક ધરાવતો હોવો જોઈએ
  • સોલાર રુપ ટોપ યોજનામાં ઉપયોગ થયેલી સોનલા રસેલ અને સોલાર મોડ્યુલ મેડ ઇન ઇન્ડિયા ના હોવા જોઈએ જો વિદેશી કંપનીના હશે તો સબસેડી મળવાપાત્ર થશે નહીં
  • ફક્ત નવા સોલાર પ્લાન્ટ અને મશીનરી માટે જ મંજૂરી આપવામાં આવશે અને તેને બીજે ક્યાંય ખસેડી શકાશે નહીં

સોલાર રુપટોપ યોજના 2023 ઓનલાઈન એપ્લાય.

  • સોલાર રૂફટોપ યોજના ના ઓનલાઈન ફોર્મ માટે આ વેબસાઈટ https://suryagujarat.guvnl.com/ પર જઈને અપ્લાય કરી શકાશે
  • ઓનલાઇન અરજી કર્યા બાદ ટેકનિકલ ફિઝિબિલિટી માટે સંબંધિત ડિસ્કોમને મોકલવામાં આવશે
  • ટેકનીકલ ફિઝિબિલિટી અપૃવલ થયા બાદ પોર્ટલ પર નોંધણી થયેલ કોઈપણ વેન્ડરના માધ્યમથી રૂફટોપ સોલાર લગાવી શકાશે
  • રૂફટોપ પેનલ લગાવ્યા પછી તેનો વિવરણ પોર્ટલ પર ભરો અને નેટ મીટરિંગ માટે અરજી કરો
  • નેટ મીટર લાગ્યા બાદ ઉપભોક્તા મીટર માટે અરજી કરી શકે છે જેના માટે તેમને બેન્ક એકાઉન્ટની ડીટેલ તથા કેન્સલ કરેલા ચેક ની એક કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે
  • કેન્દ્ર સરકારની સબસીડી ઉપભોક્તા ના ખાતામાં કામકાજના 30 દિવસની અંદર જમા કરવામાં આવશે
  • પ્રત્યેક ચરણની નવીનતમ સ્થિતિ ની જાણકારી પોર્ટલ પર ઓનલાઇન ઉપલબ્ધ રહેશે

આને પણ વાંચો : તમારા ખાતામાં કિસાન નિધિ યોજના હેઠળ કેટલા હપ્તા જમા થયા ચેક કરવા અહીં ક્લિક કરો

સોલાર રૂફટોપ યોજના સબસીડી માટે ડોક્યુમેન્ટ ની યાદી

  • વિક્રેતા ઉપભોક્તા અને ડિસ્કોમ અધિકારી દ્વારા સહી કરાયેલ સોલાર કમિશનિંગ રિપોર્ટ
  • રૂફટોપ સોલાર પેનલ માટે વેન્ડર તરફથી આપવામાં આવેલું બિલ
  • 10 કિલો વોટ કરતાં વધુ સેટઅપ માટે આપવામાં ચાર્જિંગ પરવાનગી માટે નો પ્રમાણપત્ર
  • 10 કિલો વોટ કરતા ઓછા સેટઅપ માટે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા કોન્ટ્રાક્ટર નો સર્ટિફિકેટ
  • સંયુક્ત સ્થાપન અહેવાલ જે ઉપભોક્તા અને સૂચિત બંધ વિક્રેતા દ્વારા સહી કરેલ છે ઇન્સ્ટોલેશન વિશે માહિતી પૂછે પૂરી પાડે છે

સોલાર રૂફટોપ યોજના સબસીડી 2023

ત્રણ કિલો વોટ સુધી ૪૦ ટકા
3 કિલો વોટથી વધુ અને 10 કિલો વોટ સુધીપ્રથમ ત્રણ કિલો વોટ સુધી ચાલીસ ટકા અને ત્રણ કિલો પછીની ક્ષમતા માટે ૨૦ ટકા
10 કિલો વોટથી વધુ માટેપ્રથમ ત્રણ કિલો વોટ સુધી ચાલીસ ટકા અને ત્રણ કિલો વોટ પછીના સાત કિલો વોટ માટે 20%
નોંધ: 10 કિલો વોટ પછીની કાર્યક્ષમતા માટે સબસીડી મળશે નહીં

સોલાર રૂફટોપ યોજના હેલ્પલાઇન નંબર

સોલાર રૂફટોપ યોજના વિશે કોઈપણ માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબર 1800 180 3333 કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા ઓફિસિયલ ઈ-મેલ આઇડી પર મેલ મોકલી શકો છો

અગત્યની લીંક

સોલાર રૂફટોપ યોજના ઓફિસિયલ પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
સોલા રૂફટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંકઅહીં ક્લિક કરો
જિલ્લા વાઇઝ માન્ય એજન્સી લિસ્ટ PDFઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજઅહીં ક્લિક કરો
💥નિયમિત અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
સોલાર રૂફ ટોપ યોજના
સોલાર રૂફટોપ યોજના ગુજરાત રાજ્ય માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://suryagujarat.guvnl.com/

Leave a Comment