WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આદર્શ નિવાસી શાળા એડમિશન 2023: જાણો સંપૂર્ણ માહિતી

આદર્શ નિવાસી શાળા એડમિશન 2023: શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને હોશિયાર તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે ઉમદા હેતુથી સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે તે પૈકીની એક સારી યોજના એટલે આદર્શ નિવાસી શાળા આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ નિવાસ ભોજન ગણવેશ બુટ મોજા સ્ટેશનરી વગેરે જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે આદર્શ નિવાસી શાળા એડમિશન અંતર્ગત ધોરણ 11માં એડમિશન માટેની જાહેરાત આવી ગયેલ છે અહીં એડમિશન લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવશે તો માહિતી ખૂબ જ ઉપયોગી હોય સારી લાગે તો સમાજના દરેક ગ્રુપમાં વધુને વધુ શેર કરજો.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્તિ જાતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે ઉમદા હેતુથી ગુજરાત રાજ્યમાં કુલ 33 આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે શાળાઓની યાદી વેબસાઈટ – www.esamajkalyan.gujarat.gov.in પર ઉપલબ્ધ છે આ શાળાઓમાં વિદ્યાર્થી ઓએ શિક્ષણ નિવાસ ભોજન ગણવેશ બુટ મોજા સ્ટેશનરી વગેરે જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે છે.

પાત્રતાના નિયમો

  • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની ધોરણ 10 ની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલ હોવા જરૂરી છે કન્યાઓના કિસ્સામાં ધોરણ 10 માં 45% કે તેથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
  • વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની હોય તેવો અરજી કરી શકશે
  • આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 11માં નવા વિદ્યાર્થી ઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઇન માધ્યમ દ્વારા જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે આદર્શ નિવાસી શાળામાં ગત વરસ ધોરણ 10 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી ઓએ ધોરણ 11માં પ્રવેશ અંગેની પાત્રતા ધરાવતા હોય તેઓએ પણ ધોરણ 11માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત અતિપછાત વિચરતી વિમુક્તિ જાતિના બાળકો તેમજ અપંગ વિધવા તથા ત્યકતા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વરસના પરિણામમાં 45% કે તેથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.
  • આદર્શન નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 60 ટકા આર્થિક રીતે પછાત વર્ગ માટે 15% અનોસૂચિત જાતિ માટે 12.5% અને અનુસૂચિત જનજાતિ માટે ૧૨.૫ ટકા બેઠકો ફાળવવામાં આવે છે ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના પાંચ ટકા દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ માટે અનામત રાખવામાં આવશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યા ના 10% પ્રવેશ માટે અગ્રીમતા આપવામાં આવશે.

આદર્શ નિવાસી શાળા એડમિશન અંગે જરૂરી સુચના

  • આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023 24 માટે ધોરણ 11માં નવા વિદ્યાર્થી ઓએ પ્રવેશ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે વેદ થાય તો પર તારીખ 31 મે 2023 થી 25 જૂન 2023 સુધી ઓનલાઇન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે
  • આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ માહિતી સાઇટ www.esamajkalyan.gujarat.gov.in પર દર્શાવવામાં આવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમ જ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી વિકસતી જાતિની કચેરી માથી પણ મળી રહેશે.
  • સરકાર શ્રી એ ઠરાવેલા નિયમ અનુસાર મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે
  • પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈન નથી પ્રસિદ્ધ કરવામાં આવશે જે માટે વિદ્યાર્થીએ સમાનતરે આ વેબસાઈટ www.esamajkalyan.gujarat.gov.in જોવાની રહેશે પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થી ઓને પ્રમાણપત્રોની ચકાસણી અંગે sms અને ઈમેલ મારફતે જાણ કરવામાં આવશે
  • ઓનલાઇન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થઈએથી મેરીટ યાદીમાં આવેલ વિદ્યાર્થી ઓએ સંબંધીત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે જો કોઈ અરજદાર ની ઓનલાઇન ફોર્મ માં ભરેલી પરીક્ષા ના ગુણ ની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી તેમજ સરકારશ્રીના આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે જેથી અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં
  • પ્રવેશ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર નો નિર્ણય આખરી રહેશે.

અગત્યની લીંક

કુમાર માટેની આદર્શો નિવાસી શાળાઓનું લિસ્ટ અહીં ક્લિક કરો
કન્યા માટેની આદર્શ નિવાસી શાળાઓનું લિસ્ટઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment