WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત સમરસ છાત્રાલય એડમિશન 2024

ગુજરાત સમરસ છાત્રાલય એડમિશન 2024: કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2024 – 25 ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ , ભુજ , વડોદરા, સુરત , રાજકોટ, ભાવનગર , જામનગર, આણંદ , હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સત્તાવાર વેબસાઈટ – www.samras.gujarat.gov.in પર તારીખ 20 જૂન 2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

અગત્યની સૂચના

  • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમને ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી) ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે (નોંધ : વિદ્યાર્થી એ 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ)
  • સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થી ઓએ પણ ફરજિયાત પણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ બે અને ગ્રુપ ત્રણના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં 55% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેસન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેસન હોવા જોઈએ ગ્રુપ એકના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે.
  • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં. ઓનલાઇન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થઈએથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થી ઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમય ગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે
  • જો કોઈ છાત્રાને ઓનલાઈન ફોર્મ માં ભરેલા ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત જણાવશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે
  • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્ર જ પ્રવેશપાત્ર ગણાશે
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સંબંધીત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઇ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે
  • ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  1. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  2. છેલ્લી પરીક્ષાની માર્કશીટ ની નકલ
  3. લિવિંગ સર્ટિફિકેટ ની નકલ
  4. અરજદારના જાતિ અંગે નો દાખલો
  5. આવકનો દાખલો
  6. આધાર કાર્ડ ની નકલ
  7. વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
  8. વિદ્યાર્થી અનાથ હોય તો તેનો દાખલો
  9. વિધવા માતાનો સંતાન હોય તો તે અંગે નો દાખલો
  10. એડમિશન મળી જાય ત્યારે આ અરજીની નકલ
  11. પોલીસ કેરેક્ટર સર્ટિફિકેટ
  12. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ.

અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
સમરસ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત (શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે)અહીં ક્લિક કરો
Registration guideline pdf Click Here
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ 27 મેં 2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ20 જૂન 2024

Leave a Comment