WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ જાહેર, આ પ્રોગ્રામ અંતર્ગત એપ્લાય કરો, મળશે 1 લાખ રૂપિયા માસિક મહેનતાણું.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ જાહેર, આ પ્રોગ્રામ અંતર્ગત એપ્લાય કરો, મળશે 1 લાખ રૂપિયા માસિક મહેનતાણું.

રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રસારન વ્યવસ્થા, જન સેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ અને પ્રો એક્ટિવ પીપલ ગવર્નન્સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલો શીપ દ્વારા મળતું થશે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સુરાજ્ય ગુડ ગવર્નન્સની પરંપરા દ્વારા સામાન્ય માનવી, ગરીબ, વંચિત સૌ ના કલ્યાણથી સુશાસન એ જ લક્ષ્યનો શાસન ભાવ વિકસાવ્યો છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી ના આ જ લક્ષ્યની પ્રેરણાથી ગુજરાતમાં ગુડ ગવર્નન્સને વેગ આપતું આગવું કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યની પ્રશાસનની વ્યવસ્થામાં તેજસ્વી યુવાઓના ઇનોવેટિવ આઇડિયા /વિચારોની ઊર્જાના વિનિયોગ માટે “સરદાર પટેલ ગુડ ગવર્નન્સ પીએમ ફેલોશીપ પ્રોગ્રામ” ની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ અને પ્રો એક્ટીવ પ્રો પીપલ ગવર્નન્સ માટે યુવા શક્તિનો યોગદાન આ ફેલો શીપ દ્વારા મળતું થશે.

આ પ્રોગ્રામ અંતર્ગત યુવાનોની કેવી રીતે થશે પસંદગી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરેલ આ “સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી એમ ફેલોસીપ પ્રોગ્રામ” માટે યુવાનો પાસેથી આવેલી અરજીઓની યોગ્યતાના ધોરણે પસંદગી કરવામાં આવશે.

ફેલોશીપ નો સમયગાળો અને માસિક મહેનતાણું

આ ફેલોશીપની સમય અવધી એક વર્ષની રાખવામાં આવેલી છે તેમ જ આ સમયગાળા દરમિયાન ફેલો યુવાનોને માસિક રૂપિયા એક લાખનું મહેનતાણું પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના વિવિધ જનહિત કારી પ્રોજેક્ટના સફળ અમલીકરણમાં નવીનતા, અસરકારકતા અને ગુણવત્તા સુધારણા માટે આ ફેલો યુવાનોની જ્ઞાન સંપદા નો ઉપયોગ કરવામાં આવશે.

ફેલો યુવાનોએ ક્યા ક્યા પ્રોગ્રામો અંતર્ગત કાર્ય કરવાનું થશે

આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં મુખ્યત્વે પીએમ પોષણ યોજના, એસપીરેસનલ ડિસ્ટ્રિક્ટ અને બ્લોકસમાં આ યોજના અન્વયે અપાતા ભોજન પોષણયુક્ત પદાર્થોનો વ્યય અટકાવવો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એનરોલમેન્ટ સુધારણા, તથા વિજ્ઞાન અને ગણિત જેવા ગહન વિષયો પ્રત્યે રુચિ કેળવવા જેવી બાબતો આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવો, નર્મદાના જળનો સિંચાઈ હેતુ માટે વ્યાપક અને મહત્તમ ઉપયોગને પ્રમોટ કરવા, અને શહેરી તથા ઔદ્યોગિક પ્રદુષણ નિયંત્રણ તેમજ શહેરોમાં ઘન અને પ્રવાહી કચરાના રિસાયક્લિંગ ના આયામો જેવા સેક્ટર્સ પણ ફેલો પ્રોગ્રામ અન્વયે આવરી લેવામાં આવશે.

IIM અમદાવાદ દ્વારા ફેલો યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી એમ ફેલોશીપ પ્રોગ્રામોમાં વિશ્વ ખ્યાત મેનેજમેન્ટ સંસ્થાન IIM અમદાવાદ એકેડેમી પાર્ટનર તરીકે જોડાશે. IIM અમદાવાદ ફેલોની પસંદગી અને તાલીમ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, ફેલોશીપ માટે આવેલી અરજીઓ સાથેના વ્યક્તિગત આવેદનના મૂલ્યાંકન, અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યૂ તેમજ ત્યારબાદ ફેલો યુવાનોને તાલીમ માટે મેન્ટર તરીકે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સેવાઓ આપવાની છે. એટલું જ નહીં ફેલોના કાર્યકાળ દરમિયાન ફેલ દ્વારા કરવામાં આવેલી કામગીરીના ઇવેલ્યુએશનમાં પણ આઈ આઈ એમ અમદાવાદના તજજ્ઞોનો સહયોગ લેવામાં આવશે અને કાર્યકાળ પૂર્ણ થયા પછી ફેલોને ગુજરાત સરકાર અને આઇઆઇએમ અમદાવાદ સંયુક્ત સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની નીતિઓના ઘડતર સેવા વિષયક બાબતો જન કલ્યાણ યોજનાઓ વગેરેમાં નવીન અને અસરકારક અભિગમોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સીએમ ફેલોસીપ પ્રોગ્રામને તેમના માર્ગદર્શનમાં આગળ ધપાવતા હવે “સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી એમ ફેલોસીપ પ્રોગ્રામ” શરૂ કરવાની દિશા લીધી છે. વડાપ્રધાને રાષ્ટ્રની મહત્વપૂર્ણ વિકાસ અને જનહિત યોજનાઓના અમલીકરણમાં તજજ્ઞોના અનુભવ, જ્ઞાનના સહયોગની શરૂ કરેલી નવતર પરંપરા, ગુજરાતમાં આ સીએમ ફેલોશીપ પણ આ અભિગમ અપનાવવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

અરજી કરવા માટેની યોગ્યતા

રાજ્યના હોનાર યુવાનોને એક વર્ષની આ ફેલોશીપથી રાજ્ય અને સમાજની સેવા માટે સક્રિય યોગદાન આપવાની તક ઉપલબ્ધ થવાની છે, સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોસી પ્રોગ્રામમાં 60 કે તેથી વધુ ટકા સાથે સ્નાતક થયેલા અને 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારોને તક આપવામાં આવશે. રાજ્ય સરકાર આવા પસંદગી થયેલા સીએમ ફેલોને બે અઠવાડિયાની તાલીમ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બે સપ્તાહ ફિલ્ડ ટ્રેનિંગ આપશે. આવા સીએમ ફેલો યુવાનો દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અંતર્ગત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ યુવાનોના ઇનોવેટિવ વિચારો, આગવું કૌશલ્ય તથા નવ યુવાનોની ઉર્જા ચેતના સરકારના જનહિત કાર્યોમાં ઉપકારક બનશે.

સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આગવી કુનેહ, કોઠાસૂઝ અને કુશાગ્ર વહીવટ કરતા તરીકે સ્વતંત્રતા બાદ રજવાડાઓનું વિલીનીકરણ કરી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. તેમણે સિવિલ સર્વિસિસ ક્ષેત્રને પણ આપણા પોતાના બંધારણને અનુરૂપ ઢાંચો અને ઓપ આપીને દેશમાં વહીવટી સુધારણા થી સુશાસન પ્રણાલી સ્થાપિત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સાહેબની જન્મ જયંતી એ આ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી એમ ફેલોશીપ પ્રોગ્રામની જાહેરાતથી સરદાર સાહેબનું યથોચિત ગૌરવ સન્માન કર્યું છે.

મહત્વની લિંક.

આ યોજના વિશે ન્યૂઝ માહિતી વિડિઓ જુઓઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
અન્ય માહિતી વાંચવા માટેઅહીં ક્લિક કરો
અવનવી માહિતી નિયમિત વાંચવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment