WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM Kisan Yojna: PM કિસાન યોજનાનો હપ્તો જમા નથી થયો તો તરત ડાયલ કરો આ નંબર.

PM Kisan Yojna: તાજેતરમાં ગુજરાતના લાખો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો જમા કરાવવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા હાલ સુધીમાં 16 હપ્તા જમા કરાવવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે કુલ 6 હજાર રૂપિયા ની નાણાકીય સહાય બે બે હજાર રૂપિયાના હપ્તામાં ચૂકવવામાં આવે છે. પરંતુ અનેક ખેડૂતોના ખાતામાં આ યોજનાનો હપ્તો જમા થયો નથી, જો તમે પણ એક ખેડૂત છો અને તમારા ખાતામાં આ યોજનાનો હપ્તો જમા નથી થયો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. એક નંબર ડાયલ કરતાની સાથે જ આસાનીથી તમારા બેંક ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના પૈસા તમારા ખાતામાં ન પહોંચવાના અનેક કારણો હોઈ શકે છે. ખેડૂતોએ પોતાના બેંક ખાતામાં આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે, જે ખેડૂતોએ ઈ કહેવાય છે કરેલ નહીં હોય તેમના બેંક ખાતામાં હપ્તો જમા થયો નહીં હોય. તાજેતરમાં સરકાર શ્રી દ્વારા લાખો ખેડૂતોના બેંક ખાતામાં 2000 નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ક્યારેક કોઈ ટેકનીકલ કારણોસર પણ પૈસા તમારા બેંક ખાતામાં જમા ના થઈ શકે તેવું પણ બની શકે છે, આવા સંજોગોમાં તમારે શું કરવું એ એક મોટો સવાલ હોય છે, ત્યારે તમારે મૂંઝાવાની જરૂર નથી. અહીં તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી મૂકવામાં આવેલ છે. જો તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થયો નથી તો તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે.

આને પણ વાંચો તમારા બેંક ખાતામાં અત્યાર સુધી કેટલા પૈસા જમા થયા, ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

11 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં જમા થયો હતો.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન ખેડૂતોને આ ભેટ આપી હતી. આ વર્ષનો આ પહેલો અને 16 મો હપ્તો હતો. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્ર સરકારે કહ્યું કે આ પૈસા ડિબેટ દ્વારા લગભગ 11 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા . જેમાં સરકાર દ્વારા હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કરોડો ખેડૂતો લઈ રહ્યા છે પીએમ કિસાન યોજના નો લાભ

પીએમ કિસાન યોજના અંતર્ગત કરોડો ખેડૂતો ના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થયો છે તેની ખુશી ખેડૂતોને છે. તો કેટલાક એવા ખેડૂતો પણ છે કે જેમના બેન્ક ખાતામાં આ રકમ પહોંચી શકી નથી, આવા ખેડૂતો નારાજ થયા હતા અને તેઓ સમજી નહોતા શકતા કે કયા કારણોથી તેમના બેંક ખાતામાં ₹2,000 પહોંચ્યા નથી. આવા ખેડૂતો માટે સરકાર દ્વારા એક સુવિધા આપવામાં આવી રહી છે. જેના દ્વારા તેઓ તેમની સમસ્યાઓ દૂર કરી શકે છે. નંબર ડાયલ કરતાની સાથે જ તમારી સમસ્યાનું સરકાર લઈને આવી છે સાવધાન.

આને પણ વાંચો ઘરે બેઠા ઈ kyc ઓનલાઇન કેવી રીતે કરવું માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્યા કારણોસર બેંક ખાતામાં નથી આવતા પીએમ કિસાન યોજના ના પૈસા :

પીએમ કિસાન યોજના ના પૈસા તમારા બેંક ખાતામાં ન પહોંચવાના અનેક કારણો હોઈ શકે છે.

  • ekyc થયું ના હોય
  • બેંક અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક ન થયું હોય
  • નામ કે દસ્તાવેજોમાં વીસંગતતા હોય

આને પણ વાંચો પીએમ કિસાન ફસલ બીમા યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ જાણો.

તમારા બેંક ખાતામાં પૈસા જમા નથી થયા તો કરવી પડશે આ પ્રોસેસ

અને જો તમામ માહિતી બરાબર હોય અને આ યોજના અંતર્ગત તમે પાત્ર છો તેમ છતાં તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા નથી થયો તો તેના વિશે તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. જેમાં સૌપ્રથમ તમે પીએમ કિસાન યોજનાની વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. અહીં તમે તમારા ખાતામાં પૈસા ન આવવાનું કારણ જાણી શકો છો.

  • જો તમારો સ્ટેટસ એકદમ સારું છે અને તેમ છતાં તમારા ખાતામાં રકમ આવી નથી તો તમે pmkisan-ict@gov.in પર મેઈલ મોકલીને મદદ માટે પૂછી શકો.
  • આ સિવાય તમે પીએમ કિસાની યોજના ના હેલ્પલાઇન નંબર 155261 અને 1800115526, 011-23381092 પર સંપર્ક કરી શકો છો. અહીં તમને મદદ મળશે અને તમને જણાવવામાં આવશે કે સ્કીમના અટવાયેલા પૈસા કેવી રીતે મેળવવા.

💥આને પણ વાંચો ટ્રેક્ટર થી લઈને બાગાયતી પાકના વિવિધ 105 ઘટકો પર સબસીડી યોજના જાહેર, સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.

💥આને પણ વાંચો ખેડૂતો માટેની સહાયકારી ખૂબ જ ઉપયોગી પાંચ યોજનાઓની માહિતી મેળવો અહીં ક્લિક કરો.

મહત્વની લીંક

PM kisan yojna ઓફિસિયલ વેબસાઈટhttps://pmkisan.gov.in/
હોમપેજ પર જવા માટે Click Here

Leave a Comment