WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આ ત્રણ પ્રકારના તેલ રસોઈ માટે છે શ્રેષ્ઠ, તમને હૃદય રોગ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ થી બચાવશે: જાણો રસોઈ માટે શ્રેષ્ઠ તેલ કયું છે.

રસોઈ માટેનુ શ્રેષ્ઠ તેલ : આજકાલ તેલની પસંદગી પણ ખૂબ સમજી વિચારીને કરવી પડે તેમ છે. બજારમાં ઘણા બધા તેલ વેચાઈ રહ્યા છે જેમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. જે સ્વાસ્થ્ય અને નુકસાન કરે છે. રિફાઇન્ડ તેલ હોય કે બજારમાં ઉપલબ્ધ અન્ય કોઈ પણ રસોઈ તેલ, તે શરીરમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ ની સમસ્યાનું કારણ બની જાય છે જાય છે. જેના કારણે હૃદય સંબંધી તો બીમારીઓનો જોખમ ઝડપથી વધી જાય છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધારે હોય છે ત્યારે ગંદુ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જમા થવા લાગે છે. આવી સ્થિતિમાં જેનો આપણે સવાર સાંજ ભોજનમાં ઉપયોગ કરી રહ્યા છીએ તે એકદમ શુદ્ધ અને આરોગ્યપ્રદ હોવું જરૂરી છે. તમે રસોઈ માટે કયા તેલનો ઉપયોગ કરી રહ્યા છો તેના ઉપર તમારા હૃદયના સ્વાસ્થ્યનો આધાર રહેલો છે. માટે જાણો રસોઈ માટે કયું તેલ શ્રેષ્ઠ છે.

રોજ આટલા ડગલા ચાલવાથી તમારું હૃદય રહેશે ફીટ, માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

આ તેલ રસોઈ માટે શ્રેષ્ઠ છે.

તમારા સ્વાસ્થ્યને લાંબો સમય ટકાવી રાખવું હોય તો અહીં જણાવ્યા મુજબના તેલનો નિયમિત રસોઈ ઘરમાં ઉપયોગ કરવો ફરજીયાત બની રહે છે.

સરસવનું તેલ

સરસવના તેલ નો ઉપયોગ મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે થાય છે. જો સરસવના તેલનો ઉપયોગ શુદ્ધ સરસવ માંથી કાઢીને કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. સરસવના તેલમાં મોનોસેચ્યુરેટેડ ફેટ જોવા મળે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ અને ફાયદાકારક માનવામાં આવે છે. સરસવના તેલમાં બળતરા વિરોધી ગુણ પણ હોય છે. જોકે સરસવના તેલને એકવાર ગરમ કર્યા પછી ફરીથી ઉપયોગ કરશો નહીં.

ઉંમર પ્રમાણે કેટલું બ્લડપ્રેશર હોવું જોઈએ જાણો ઉમર મુજબ બ્લડપ્રેશર ચાર્ટ. અહીં ક્લિક કરો.

ઓલીવ ઓઇલ

ઓલિવ ઓઈલને રસોઈ માટે બીજું શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. ઓલિવ તેલમાં રાંધવામાં આવેલો ખોરાક ખૂબ જ હળવો હોય. આ ખાધા પછી તમને ભારે પણું નહીં લાગે. આ તેલ વિટામીન E થી ભરપૂર છે. ઓલિવ ઓઈલમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે અને મોનોસેચ્યુરેટેડ ફેટ પણ જોવા મળે છે. ઓલિવ ઓઈલ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. ઓલીવ તેલ હૃદય અને ડાયાબિટીસ માટે સારું માનવામાં આવે છે.

દેશી ઘી

શુદ્ધ દેશી ઘીમાં બનતા ભોજનનો સ્વાદ અલગ જ હોય છે. જો તમે ઈચ્છો છો તો ઘી મા પણ ભોજન બનાવી શકો છો. ઘીમાં હેલ્થી ફેટ્સ, એન્ટિઓક્સિડન્ટ અને ઘણા વિટામિન્સ મળી આવે છે. કેમાં મળતા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જોકે તમારે ઘીનું પણ મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. જો તમે વૈકલ્પિક રીતે તેલનો ઉપયોગ કરો તો તે વધુ સારું રહેશે. જેના કારણે શરીરને જરૂરી તમામ પોષણ સરળતાથી મળી રહે છે.

💥આને પણ વાંચો : કેમ આવે છે અચાનક હાર્ટ એટેક? જુવો એમડી ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલ આ ત્રણ મિનિટનો એક વિડીયો.

અગત્યની લિંક

અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment